સમયનું મૂલ્ય

rechard
લેખક રિચાર્ડ ચર્ચના લઘુનિબંધોના એક સંગ્રહમાં સરસ પ્રસંગ આલેખ્યો છે:

એક માણસ સમય વિશે ભારે સભાન. સમયપાલનમાં પાક્કો. ફુરસદના સમયમાં પણ એ નિરર્થક પ્રવૃતિઓ કરવાનું રાખતો. સ્વાભાવિક છે કે એનું ધ્યાન ઘડિયાળના કાંટા પર જ રહે. ટ્રેનમાં મુસાફરી કરતાં એક સ્ટેશને કશુંક લેવા ઊતર્યો. ટ્રેનમાં બેસીને સમય જોવા કાંડા પર નજર કરી તો ઘડિયાળ ન મળે.

સ્ટેશન પર ઊતર્યો ત્યારે ગુમ થયેલી એ ઘડિયાળની કિંમત કરતાં એને સમય જાણવાનું મૂલ્ય વધારે હતું. એક-બે વખત સાથેના ઉતારુને સમય પૂછી લીધો, પરંતુ વારંવાર આવું કરવું પણ તેને યોગ્ય લાગ્યું નહીં. આથી સ્ટેશન આવે ત્યારે ટ્રેનની બારીમાંથી ડોકું બહાર કાઢીને આવતા જતા કુલીને સમય પૂછી લે.clock 1

એક સ્ટેશને વિચિત્ર અનુભવ થયો. એક કુલીને સમય પૂછ્યો તો કહે ખબર નથી… આથી ચિડાઈને એ માણસ કહે, “કેમ સ્ટેશન પર ઘડિયાળ નથી?” કુલી કહે, અહીં ઘડિયાળ તો ઘણીય છે, પણ મારે એની સાથે શું લાગે-વળગે? સમય સમયનું કામ કરે છે ને હું મારું કામ કરું છું.” cooly 1

કુલીની વાત સો ટચના સોના જેવી છે. સમયનું મહત્વ ખરું, પણ સમયની પરાધીનતા રાખવી એ ખોટું. સમય વહેતો રહે છે એ સાચું,પણ સમયને પકડમાં લેવાની વાત ખોટી. મૂળ વાત એ છે કે, “મળેલા સમયનું મૂલ્ય એનો ઉપયોગ કરી જાણવામાં છે, નહીં કે એની પાછળ દોડવામાં……

One thought on “સમયનું મૂલ્ય

Leave a comment